કોરોના વાયરસના કારણે દેશભરમાં સ્કૂલ-કોલેજો માર્ચ મહિનાથી બંધ છે, પરંતુ આ દરમિયાન ક્યારથી ફરી ખુલશે તેની ચર્ચા થઈ રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખી એનસીઈઆરટી સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલ પર કામ કરી રહી છે, જેનું ફરીથી સ્કૂલો ખૂલ્યા બાદ ફરજિયાત પાલન કરવું પડશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, એનસીઈઆરટી સ્કૂલ એજ્યુકેશનને લઈ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.
એચઆરડી મંત્રીએ આજે વેબિનાર દ્વારા ટીચરો સાથે વાત કરી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશના એક શિક્ષકે સ્કૂલ ક્યારે ખૂલશે અને કયા નિયમોનું પાલન કરવું પડશે તેવો પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, બધું ક્યારે સામાન્ય થશે તે ન કહી શકાય પરંતુ જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે. આ માટે એનસીઈઆરટીએ ગાઈડલાઈન પર કામ કરવાનું શરૂ કર્યું છે.
કોરોના વાયરસના કારણે દેશભરમાં સ્કૂલ-કોલેજો માર્ચ મહિનાથી બંધ છે, પરંતુ આ દરમિયાન ક્યારથી ફરી ખુલશે તેની ચર્ચા થઈ રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખી એનસીઈઆરટી સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલ પર કામ કરી રહી છે, જેનું ફરીથી સ્કૂલો ખૂલ્યા બાદ ફરજિયાત પાલન કરવું પડશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, એનસીઈઆરટી સ્કૂલ એજ્યુકેશનને લઈ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.
એચઆરડી મંત્રીએ આજે વેબિનાર દ્વારા ટીચરો સાથે વાત કરી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશના એક શિક્ષકે સ્કૂલ ક્યારે ખૂલશે અને કયા નિયમોનું પાલન કરવું પડશે તેવો પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, બધું ક્યારે સામાન્ય થશે તે ન કહી શકાય પરંતુ જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે. આ માટે એનસીઈઆરટીએ ગાઈડલાઈન પર કામ કરવાનું શરૂ કર્યું છે.