પશ્ચિમ બંગાળમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યાં એકઠા થયેલા લોકોની મદદથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.
જાણવા મળ્યા મુજબ શનિવારે રાતના સમયે આ અકસ્માત થયો હતો. નદિયાના હાંસખાલી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ઉત્તર 24 પરગણાના બાગદા ખાતેથી એક મેટાડોરમાં મૃતદેહને લઈને 20 કરતા પણ વધારે લોકો નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી.
પશ્ચિમ બંગાળમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યાં એકઠા થયેલા લોકોની મદદથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.
જાણવા મળ્યા મુજબ શનિવારે રાતના સમયે આ અકસ્માત થયો હતો. નદિયાના હાંસખાલી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ઉત્તર 24 પરગણાના બાગદા ખાતેથી એક મેટાડોરમાં મૃતદેહને લઈને 20 કરતા પણ વધારે લોકો નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી.