ભારતના દિગ્ગજ અર્થશાસ્ત્રી અને આયોજન પંચનાં પૂર્વ સદસ્ય અભિજિત સેનનું સોમવારે રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 72 વર્ષની ઉંમરના હતા. અભિજિત સેન ગ્રામીણ અર્થવ્યવસ્થાના નિષ્ણાત હતા. સેનના ભાઈ ડૉ. પ્રણવ સેને જણાવ્યું કે, અભિજિત સેનને રાત્રે 11 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો. અમે તેમને હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ચૂક્યું હતું. ચાર દાયકાથી વધુ લાંબા પોતાના કરિયરમાં અભિજિત સેને નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અર્થશાસ્ત્ર ભણાવ્યું અને અનેક મહત્ત્વના સરકારી હોદ્દા સંભાળ્યા હતા. તેઓ કૃષિ ખર્ચ અને કિંમત આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સેન 2004થી 2014 સુધી આયોજન પંચના સભ્ય હતા. તે સમયે મનમોહન સિંહ વડાપ્રધાન હતા.
ભારતના દિગ્ગજ અર્થશાસ્ત્રી અને આયોજન પંચનાં પૂર્વ સદસ્ય અભિજિત સેનનું સોમવારે રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 72 વર્ષની ઉંમરના હતા. અભિજિત સેન ગ્રામીણ અર્થવ્યવસ્થાના નિષ્ણાત હતા. સેનના ભાઈ ડૉ. પ્રણવ સેને જણાવ્યું કે, અભિજિત સેનને રાત્રે 11 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો. અમે તેમને હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ચૂક્યું હતું. ચાર દાયકાથી વધુ લાંબા પોતાના કરિયરમાં અભિજિત સેને નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અર્થશાસ્ત્ર ભણાવ્યું અને અનેક મહત્ત્વના સરકારી હોદ્દા સંભાળ્યા હતા. તેઓ કૃષિ ખર્ચ અને કિંમત આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સેન 2004થી 2014 સુધી આયોજન પંચના સભ્ય હતા. તે સમયે મનમોહન સિંહ વડાપ્રધાન હતા.