Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રયાગરાજ મહાકુંભમાં ફરી આગની ઘટના બની. મહાકુંભ મેળા દરમિયાન શંકરાચાર્ય માર્ગ પર આવેલા સેક્ટર-18 ખાતે એક શિબિરમાં આગ લાગી. આ આગ ઇસ્કોનથી શરૂ થઇ હોવાનું સામે આવ્યું.  ધીરે-ધીરે આ આગ એવી પ્રસરી કે આસપાસના 20થી 22 તંબુ બળીને ખાખ થયા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લીધી. મહત્વનું છે, ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, સવારે પોણા 11 વાગ્યે એક પંડાલના ટેન્ટમાં ધુમાડો જોવા મળ્યો હતો. જેની શરૂઆત ઇસ્કોનથી થઇ હતી. આ પછી આગ આસપાસના તંબુઓમાં પ્રસરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ