યુપી વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) લખનૌમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ (BJP) કાર્યાલયમાં હોળી જેવો માહોલ જોવા મળ્યો. કાર્યાલયમાં મુખ્યમંત્રી યોગીનું અબીલ-ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું. લખનૌના ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી હતી. આ દરમિયાન યુપી ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ કાર્યાલયમાં મંચ પર આવીને યોગી આદિત્યનાથે વિજયી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને સુશાસનના મુદ્દે જનતાએ ભાજપને જંગી બહુમતી આપી છે. ફરી એકવાર ઉત્તર પ્રદેશની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.
યુપી વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) લખનૌમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ (BJP) કાર્યાલયમાં હોળી જેવો માહોલ જોવા મળ્યો. કાર્યાલયમાં મુખ્યમંત્રી યોગીનું અબીલ-ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું. લખનૌના ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી હતી. આ દરમિયાન યુપી ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ કાર્યાલયમાં મંચ પર આવીને યોગી આદિત્યનાથે વિજયી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને સુશાસનના મુદ્દે જનતાએ ભાજપને જંગી બહુમતી આપી છે. ફરી એકવાર ઉત્તર પ્રદેશની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.