Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે 5મા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. પ્રયાગરાજ, અયોધ્યા, અમેઠી, સુલતાનપુર, ચિત્રકૂટ, ગોંડા, બહરાઈચ, શ્રાવસ્તી, રાયબરેલી, પ્રતાપગઢ, કૌશાંબી, બારાબંકી જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 12 જિલ્લાની 61 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ 61 બેઠકો પર 692 ઉમેદવારો મેદાનમાં છે. 
ઉત્તર પ્રદેશની ચૂંટણીના 5મા તબક્કામાં યુપી સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, યોગી સરકારમાં મંત્રી મોતી સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, સિદ્ધાર્થ નાથ સિંહ, રમાપતિ શાસ્ત્રી, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાયની કિસ્મત પર દાવ લાગ્યો છે. કોંગ્રેસના આરાધના મિશ્રા મોના અને જનસત્તા દળના અધ્યક્ષ રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા ઉપરાંત અપના દળ (કમેરાવાદી)ના અધ્યક્ષ કૃષ્ણા પટેલના ભવિષ્ય અંગે પણ નિર્ણય લેવાશે. 
 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે 5મા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. પ્રયાગરાજ, અયોધ્યા, અમેઠી, સુલતાનપુર, ચિત્રકૂટ, ગોંડા, બહરાઈચ, શ્રાવસ્તી, રાયબરેલી, પ્રતાપગઢ, કૌશાંબી, બારાબંકી જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 12 જિલ્લાની 61 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ 61 બેઠકો પર 692 ઉમેદવારો મેદાનમાં છે. 
ઉત્તર પ્રદેશની ચૂંટણીના 5મા તબક્કામાં યુપી સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, યોગી સરકારમાં મંત્રી મોતી સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, સિદ્ધાર્થ નાથ સિંહ, રમાપતિ શાસ્ત્રી, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાયની કિસ્મત પર દાવ લાગ્યો છે. કોંગ્રેસના આરાધના મિશ્રા મોના અને જનસત્તા દળના અધ્યક્ષ રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા ઉપરાંત અપના દળ (કમેરાવાદી)ના અધ્યક્ષ કૃષ્ણા પટેલના ભવિષ્ય અંગે પણ નિર્ણય લેવાશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ