કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલોક તબક્કા વાર લાગૂ કરાઇ રહ્યું છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 4ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.
અનલોક 4ના નવા તબક્કાની માર્ગદર્શિકા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાઇ છે. શિક્ષણ સંસ્થાનો માટે હજુ પણ ખોલવાની સરકાર દ્વારા મનાઈ ફરમાવાઈ છે. શાળા કોલેજો ખોલવાને લઈને હજુ પણ પ્રતિબંધ ચાલુ જ રહેશે.
- સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, થીએટર (ઓપન એર થીએટર સિવાય) જેવી જગ્યાઓ ઉપર પ્રતિબંધ લાગુ
- હોમ મિનિસ્ટ્રીની સ્પેશ્યલ પરમિશન સિવાય ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા ઉપર પ્રતિબંધ લાગુ
- રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન પોતાની મરજીથી લાગુ નહીં કરી શકે. આ માટે પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.
- ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ મરજિયાત ધોરણે પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. આ માટે વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે.
- 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી
- મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે. આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે.
કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલોક તબક્કા વાર લાગૂ કરાઇ રહ્યું છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 4ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.
અનલોક 4ના નવા તબક્કાની માર્ગદર્શિકા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાઇ છે. શિક્ષણ સંસ્થાનો માટે હજુ પણ ખોલવાની સરકાર દ્વારા મનાઈ ફરમાવાઈ છે. શાળા કોલેજો ખોલવાને લઈને હજુ પણ પ્રતિબંધ ચાલુ જ રહેશે.
- સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, થીએટર (ઓપન એર થીએટર સિવાય) જેવી જગ્યાઓ ઉપર પ્રતિબંધ લાગુ
- હોમ મિનિસ્ટ્રીની સ્પેશ્યલ પરમિશન સિવાય ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા ઉપર પ્રતિબંધ લાગુ
- રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન પોતાની મરજીથી લાગુ નહીં કરી શકે. આ માટે પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.
- ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ મરજિયાત ધોરણે પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. આ માટે વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે.
- 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી
- મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે. આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે.