કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 4 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ નોરતાની પહેલી રાત્રે શાહે માણસામાં આવેલા પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે આવે છે. અમિતશાહના આગમનથી દિવસમાં અનેક મંત્રીઓ અને હોદ્દેદારો તેમને મળવાની ઇચ્છા સાથે આવ્યા હતા. જો કે શાહે કોઇ સાથે મુલાકાત ટાળી હતી. આગામી બે દિવસ તેઓ પ્રદેશના નેતાઓ અને સરકારના મંત્રીમંડળ સાથે મુલાકાત યોજે તેવી શક્યતા છે.
લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ પોતાના હોમ ટાઉન ગુજરાતમાં આવ્યા છે. 18મી સુધી અમિત શાહ ગુજરાતમાં જ રહેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ અમિત શાગ ગુજરાતમાં રોકાશે. તેઓ અગાઉ 17મીએ ઓક્ટોબરે આવવાના હતા. જો કે તેમનો કાર્યક્રમમાં અચાનક પરિવર્તન કરાયું હતું. તેઓ વિધાનસભા ચૂંટણીને લઇને બેઠકો યોજે તેવી શક્યતા સેવાઇ રહી છે. 18મી ઓક્ટોબરે દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 4 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ નોરતાની પહેલી રાત્રે શાહે માણસામાં આવેલા પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે આવે છે. અમિતશાહના આગમનથી દિવસમાં અનેક મંત્રીઓ અને હોદ્દેદારો તેમને મળવાની ઇચ્છા સાથે આવ્યા હતા. જો કે શાહે કોઇ સાથે મુલાકાત ટાળી હતી. આગામી બે દિવસ તેઓ પ્રદેશના નેતાઓ અને સરકારના મંત્રીમંડળ સાથે મુલાકાત યોજે તેવી શક્યતા છે.
લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ પોતાના હોમ ટાઉન ગુજરાતમાં આવ્યા છે. 18મી સુધી અમિત શાહ ગુજરાતમાં જ રહેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ અમિત શાગ ગુજરાતમાં રોકાશે. તેઓ અગાઉ 17મીએ ઓક્ટોબરે આવવાના હતા. જો કે તેમનો કાર્યક્રમમાં અચાનક પરિવર્તન કરાયું હતું. તેઓ વિધાનસભા ચૂંટણીને લઇને બેઠકો યોજે તેવી શક્યતા સેવાઇ રહી છે. 18મી ઓક્ટોબરે દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે.