Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બુધવારે સવારે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ સ્થિત કે ડી હોસ્પિટલમાં ગૃહ મંત્રી શાહ એડમિટ થયા હતા અને તેમના અલગ-અલગ ચારથી પાંચ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સવારે નવ વાગ્યા આસપાસ નાની સર્જરી માટે અમિત શાહ એડમિટ થયા હોવાનું જણાયું હતું.

ગળાની પાછળના ભાગે અમિત શાહની નાનકડી સર્જરી કરવામાં આવી છે. તેમને હાલમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે અને તેઓ પોતાના થલતેજ સ્થિત ઘરે આરામ કરશે. હોસ્પિટલના સૂત્રોના મતે અમિત શાહના ટેસ્ટ બાદ ગળાના પાછળના ભાગે સામાન્ય સર્જરી કરવામાં આવી હતી. જો કે સર્જરી બાદ તેઓ સ્વસ્થ હોવાથી તેમને રજા આપવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બુધવારે સવારે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ સ્થિત કે ડી હોસ્પિટલમાં ગૃહ મંત્રી શાહ એડમિટ થયા હતા અને તેમના અલગ-અલગ ચારથી પાંચ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સવારે નવ વાગ્યા આસપાસ નાની સર્જરી માટે અમિત શાહ એડમિટ થયા હોવાનું જણાયું હતું.

ગળાની પાછળના ભાગે અમિત શાહની નાનકડી સર્જરી કરવામાં આવી છે. તેમને હાલમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે અને તેઓ પોતાના થલતેજ સ્થિત ઘરે આરામ કરશે. હોસ્પિટલના સૂત્રોના મતે અમિત શાહના ટેસ્ટ બાદ ગળાના પાછળના ભાગે સામાન્ય સર્જરી કરવામાં આવી હતી. જો કે સર્જરી બાદ તેઓ સ્વસ્થ હોવાથી તેમને રજા આપવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ