Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ સામેની જંગમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં મોટા 2 નિર્ણય લેવામાં આવ્યા. પ્રથમ નિર્ણય એ છે કે, તમામ સાંસદોના પગારમાં 1 વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તથા બીજો નિર્ણય, 2 વર્ષ માટે સાંસદોને મળતું ફન્ડ સ્થગિત કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામેની જંગમાં લડવા માટે કરાશે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગેની જાણકારી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી. આ મામલે કેન્દ્ર સરકારે અધ્યાદેશ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલોએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના પગારમાં 30 ટકાના ઘટાડાને સ્વીકાર્યો છે.

કોરોના વાયરસ સામેની જંગમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં મોટા 2 નિર્ણય લેવામાં આવ્યા. પ્રથમ નિર્ણય એ છે કે, તમામ સાંસદોના પગારમાં 1 વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તથા બીજો નિર્ણય, 2 વર્ષ માટે સાંસદોને મળતું ફન્ડ સ્થગિત કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામેની જંગમાં લડવા માટે કરાશે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગેની જાણકારી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી. આ મામલે કેન્દ્ર સરકારે અધ્યાદેશ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલોએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના પગારમાં 30 ટકાના ઘટાડાને સ્વીકાર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ