કોવિડ-19ના જોખમને ધ્યાનમાં રાખીને શુક્રવારે યોજાનારા ઓલમ્પિક રમતના ઉદ્ઘાટન સમારંભમાં શક્ય તેટલા ઓછા ભારતીય ખેલાડીઓની ભાગીદારી રાખવામાં આવશે. ટીમમાંથી ફક્ત 6 અધિકારીઓને જ તેમાં સહભાગી બનવાની સ્વીકૃતિ મળી છે. જે ખેલાડીઓને આગામી દિવસે પ્રતિયોગિતામાં હિસ્સો લેવાનો છે તેમને ઉદ્ઘાટન સમારંભમાં સામેલ ન થવાની સલાહ આપવામાં આવી છે.
રમતમાં ભારતના 120 કરતા વધારે ખેલાડીઓ હિસ્સો લઈ રહ્યા છે જ્યારે ભારતીય ટીમમાં અધિકારીઓ, કોચ અને અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ 228 સદસ્યોનો સમાવેશ થાય છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ જણાવ્યું કે, સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને ઉદ્ઘાટન સમારંભમાં નહીં રાખવામાં આવે.
કોવિડ-19ના જોખમને ધ્યાનમાં રાખીને શુક્રવારે યોજાનારા ઓલમ્પિક રમતના ઉદ્ઘાટન સમારંભમાં શક્ય તેટલા ઓછા ભારતીય ખેલાડીઓની ભાગીદારી રાખવામાં આવશે. ટીમમાંથી ફક્ત 6 અધિકારીઓને જ તેમાં સહભાગી બનવાની સ્વીકૃતિ મળી છે. જે ખેલાડીઓને આગામી દિવસે પ્રતિયોગિતામાં હિસ્સો લેવાનો છે તેમને ઉદ્ઘાટન સમારંભમાં સામેલ ન થવાની સલાહ આપવામાં આવી છે.
રમતમાં ભારતના 120 કરતા વધારે ખેલાડીઓ હિસ્સો લઈ રહ્યા છે જ્યારે ભારતીય ટીમમાં અધિકારીઓ, કોચ અને અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ 228 સદસ્યોનો સમાવેશ થાય છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ જણાવ્યું કે, સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને ઉદ્ઘાટન સમારંભમાં નહીં રાખવામાં આવે.