દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે. ભારતને આઝાદી મળી તેનું ૭૫મું વર્ષ શરૃ થઈ રહ્યું હોવાથી વર્ષ દરમિયાન દેશમાં આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવાશે. અલગ અલગ ક્ષેત્રોમાં તેની ઉજવણી થશે. લાલ કિલ્લા ઉપર પહેલી વખત હેલિકોપ્ટર્સની મદદથી પૃષ્પવૃષ્ટિ થશે.
કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બની ગયા છે. પાટનગર દિલ્હીમાં હથિયારોના જથ્થા સાથે શંકાસ્પદ શખ્સોની ધરપકડ થઈ હતી. નાના-મોટા દરેક સંવેદનશીલ સ્થળોએ ચાંપતો બદોબસ્ત ગોઠવાયો છે. પાટનગર સહિતના મહત્વના શહેરોમાં સુરક્ષાદળોને તૈનાત કરીને હાઈએલર્ટ કરાયા છે. ચીનની સરહદે તંગદિલી હોવાથી આઝાદીના અમૃત મહોત્સવ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાકીદ કરાઈ છે. એવી જ રીતે પાકિસ્તાની સૈન્ય કોઈ અવળચંડાઈ ન કરે કે આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી ન કરે તે માટે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે પણ સૈનિકો હાઈએલર્ટ છે. ગુપ્તચર વિભાગે બાંગ્લાદેશની સરહદેથી પણ આતંકવાદીઓની ઘૂસણખોરીની ચેતવણી આપી હોવાથી બીએસએફના જવાનોને સાવધાન રહેવાનો આદેશ ગૃહ મંત્રાલયે આપ્યો હતો.
દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે. ભારતને આઝાદી મળી તેનું ૭૫મું વર્ષ શરૃ થઈ રહ્યું હોવાથી વર્ષ દરમિયાન દેશમાં આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવાશે. અલગ અલગ ક્ષેત્રોમાં તેની ઉજવણી થશે. લાલ કિલ્લા ઉપર પહેલી વખત હેલિકોપ્ટર્સની મદદથી પૃષ્પવૃષ્ટિ થશે.
કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બની ગયા છે. પાટનગર દિલ્હીમાં હથિયારોના જથ્થા સાથે શંકાસ્પદ શખ્સોની ધરપકડ થઈ હતી. નાના-મોટા દરેક સંવેદનશીલ સ્થળોએ ચાંપતો બદોબસ્ત ગોઠવાયો છે. પાટનગર સહિતના મહત્વના શહેરોમાં સુરક્ષાદળોને તૈનાત કરીને હાઈએલર્ટ કરાયા છે. ચીનની સરહદે તંગદિલી હોવાથી આઝાદીના અમૃત મહોત્સવ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાકીદ કરાઈ છે. એવી જ રીતે પાકિસ્તાની સૈન્ય કોઈ અવળચંડાઈ ન કરે કે આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી ન કરે તે માટે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે પણ સૈનિકો હાઈએલર્ટ છે. ગુપ્તચર વિભાગે બાંગ્લાદેશની સરહદેથી પણ આતંકવાદીઓની ઘૂસણખોરીની ચેતવણી આપી હોવાથી બીએસએફના જવાનોને સાવધાન રહેવાનો આદેશ ગૃહ મંત્રાલયે આપ્યો હતો.