દેશભરમાં ગુરુવારે ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધન કરશે. પ્રચંડ જનાદેશ બાદ બીજી વાર સત્તા સંભાળનાર પીએમ મોદીનું આ પહેલું ભાષણ હશે. પીએમ ભાષણમાં તેમની સરકારના ઐતિહાસિક નિર્ણય કલમ ૩૭૦ની નાબૂદી, સ્વચ્છ ભારત, આયુષ્યમાન ભારત, ભારતના મૂન મિશન સહિતના બીજા કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દે બોલે તેવી શક્યતા છે. આ પહેલા અટલ બિહારી વાજપેયીએ ૧૯૯૮-૨૦૦૩ સુધી લગાતાર છ વર્ષ સુધી ભાષણ આપ્યું હતું. હવે વડા પ્રધાન મોદી સતત છઠ્ઠી વાર સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપશે. પીએમને સલામી આપનાર ગ્રુપમાં એક અધિકારી, એક સેના, નેવી અને વાયુસેનાના ૨૪ જવાન સામેલ થશે.
દેશભરમાં ગુરુવારે ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધન કરશે. પ્રચંડ જનાદેશ બાદ બીજી વાર સત્તા સંભાળનાર પીએમ મોદીનું આ પહેલું ભાષણ હશે. પીએમ ભાષણમાં તેમની સરકારના ઐતિહાસિક નિર્ણય કલમ ૩૭૦ની નાબૂદી, સ્વચ્છ ભારત, આયુષ્યમાન ભારત, ભારતના મૂન મિશન સહિતના બીજા કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દે બોલે તેવી શક્યતા છે. આ પહેલા અટલ બિહારી વાજપેયીએ ૧૯૯૮-૨૦૦૩ સુધી લગાતાર છ વર્ષ સુધી ભાષણ આપ્યું હતું. હવે વડા પ્રધાન મોદી સતત છઠ્ઠી વાર સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપશે. પીએમને સલામી આપનાર ગ્રુપમાં એક અધિકારી, એક સેના, નેવી અને વાયુસેનાના ૨૪ જવાન સામેલ થશે.