કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલા રાકેશ ટિકૈતે રવિવારે મુઝફ્ફરનગર ખાતે આયોજિત કિસાન મહાપંચાયતને સંબોધિત કરી હતી. ટિકૈતે ખેડૂત પંચાયતના મંચ પરથી સત્તાધારી ભાજપ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને કેન્દ્રની સરકાર પર બરાબરનો હુમલો કર્યો હતો. રાકેશ ટિકૈતે ભાજપને દંગા કરાવનારી પાર્ટી ગણાવીને સત્તા પરથી ઉખાડી ફેંકવા આહ્વાન કર્યું હતું.
આ તરફ ભાજપે પણ રાકેશ ટિકૈત પર વળતો હુમલો કર્યો છે. રાકેશ ટિકૈતની એક ટ્વીટ અંગે ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ લખ્યું હતું કે, 20 હજાર લોકો ભેગા ન કરી શક્યા અને 20 લાખનો દાવો કરી રહ્યા છે. તેમણે ટિકૈત પર નિશાન સાધીને કહ્યું કે, 4 ફોટા ટ્વીટ કર્યા છે અને ચારેયમાં પોતાનો જ ચહેરો દેખાડી રહ્યા છે. મિયાં ખલીફાની અફવા ઉડાવી હતી ત્યારે થોડી ભીડ આવી પરંતુ લોકો નિરાશ થઈને પાછા ફર્યા.
કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલા રાકેશ ટિકૈતે રવિવારે મુઝફ્ફરનગર ખાતે આયોજિત કિસાન મહાપંચાયતને સંબોધિત કરી હતી. ટિકૈતે ખેડૂત પંચાયતના મંચ પરથી સત્તાધારી ભાજપ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને કેન્દ્રની સરકાર પર બરાબરનો હુમલો કર્યો હતો. રાકેશ ટિકૈતે ભાજપને દંગા કરાવનારી પાર્ટી ગણાવીને સત્તા પરથી ઉખાડી ફેંકવા આહ્વાન કર્યું હતું.
આ તરફ ભાજપે પણ રાકેશ ટિકૈત પર વળતો હુમલો કર્યો છે. રાકેશ ટિકૈતની એક ટ્વીટ અંગે ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ લખ્યું હતું કે, 20 હજાર લોકો ભેગા ન કરી શક્યા અને 20 લાખનો દાવો કરી રહ્યા છે. તેમણે ટિકૈત પર નિશાન સાધીને કહ્યું કે, 4 ફોટા ટ્વીટ કર્યા છે અને ચારેયમાં પોતાનો જ ચહેરો દેખાડી રહ્યા છે. મિયાં ખલીફાની અફવા ઉડાવી હતી ત્યારે થોડી ભીડ આવી પરંતુ લોકો નિરાશ થઈને પાછા ફર્યા.