દેશભરમાં લવ જેહાદના છેડાયેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે આંતર ધર્મિય લગ્ન પર મહત્વનો ચુકાદો આપીને કહ્યુ છે કે, યુવાઓેને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે.કાયદો બે પુખ્ત વ્યક્તિઓને એક બીજા સાથે રહેવાની પરવાનગી આપે છે.
અલ્હાબાદના કુશીનગરમાં રહેતા સલામત અન્સારી અને પ્રિયંકા ખરવારે પરિવારની મરજી વિરુધ્ધ લગ્ન કર્યા હતા.બંનેએ મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા બાદ પ્રિયંકા મુસ્લિમ ધર્મ અપનાવીને આલિયા બની ગઈ છે.પ્રિયંકાના પરિવારે પુત્રીના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
એ પછી સલામત તેમજ પ્રિયંકા ઉર્ફે આલિયા હાઈકોર્ટમાં ગયા હતા અને પોલીસ ફરિયાદ રદ કરવા માટે માંગણી કરી હતી.બીજી તરફ પ્રિયંકાના પિતાએ કહ્યુ હતુ કે, લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવા પર પ્રતિબંધ છે અને એટલે જ આ લગ્ન કાયદાકીય રીતે માન્ય નથી.
દેશભરમાં લવ જેહાદના છેડાયેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે આંતર ધર્મિય લગ્ન પર મહત્વનો ચુકાદો આપીને કહ્યુ છે કે, યુવાઓેને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે.કાયદો બે પુખ્ત વ્યક્તિઓને એક બીજા સાથે રહેવાની પરવાનગી આપે છે.
અલ્હાબાદના કુશીનગરમાં રહેતા સલામત અન્સારી અને પ્રિયંકા ખરવારે પરિવારની મરજી વિરુધ્ધ લગ્ન કર્યા હતા.બંનેએ મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા બાદ પ્રિયંકા મુસ્લિમ ધર્મ અપનાવીને આલિયા બની ગઈ છે.પ્રિયંકાના પરિવારે પુત્રીના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
એ પછી સલામત તેમજ પ્રિયંકા ઉર્ફે આલિયા હાઈકોર્ટમાં ગયા હતા અને પોલીસ ફરિયાદ રદ કરવા માટે માંગણી કરી હતી.બીજી તરફ પ્રિયંકાના પિતાએ કહ્યુ હતુ કે, લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવા પર પ્રતિબંધ છે અને એટલે જ આ લગ્ન કાયદાકીય રીતે માન્ય નથી.