કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ હંમેશા ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા રહે છે. કોઈ પણ મુદ્દો કેમ ન હોય, તેઓ હંમેશા નિશાન તાકવાનું માધ્યમ શોધી જ લેતા હોય છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીની વરદીને લઈ વિવાદ સર્જાયો છે. દિવાળીના દિવસે નૌશેરા ગયેલા વડાપ્રધાન મોદીએ સેનાની વરદી પહેરી રાખી હતી. દિગ્વિજય સિંહે તેને લઈ સવાલો કર્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે, શું કોઈ સિવિલીયન આર્મી ડ્રેસ પહેરી શકે છે? શું આ મામલે જનરલ રાવત કે પછી સંરક્ષણ મંત્રી કોઈ સ્પષ્ટતા કરી શકશે? કોંગ્રેસી નેતાએ આ ટ્વિટ વડાપ્રધાન મોદીના એ નિવેદનને લઈ કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે, પહેલા હથિયારો ભારત લાવવામાં વર્ષો નીકળી જતા હતા પરંતુ હવે આત્મનિર્ભર ભારત પર ફોકસ કરવામાં આવે છે.
કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ હંમેશા ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા રહે છે. કોઈ પણ મુદ્દો કેમ ન હોય, તેઓ હંમેશા નિશાન તાકવાનું માધ્યમ શોધી જ લેતા હોય છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીની વરદીને લઈ વિવાદ સર્જાયો છે. દિવાળીના દિવસે નૌશેરા ગયેલા વડાપ્રધાન મોદીએ સેનાની વરદી પહેરી રાખી હતી. દિગ્વિજય સિંહે તેને લઈ સવાલો કર્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે, શું કોઈ સિવિલીયન આર્મી ડ્રેસ પહેરી શકે છે? શું આ મામલે જનરલ રાવત કે પછી સંરક્ષણ મંત્રી કોઈ સ્પષ્ટતા કરી શકશે? કોંગ્રેસી નેતાએ આ ટ્વિટ વડાપ્રધાન મોદીના એ નિવેદનને લઈ કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે, પહેલા હથિયારો ભારત લાવવામાં વર્ષો નીકળી જતા હતા પરંતુ હવે આત્મનિર્ભર ભારત પર ફોકસ કરવામાં આવે છે.