ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા 'ગોરખધંધા' શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનું કારણ પણ આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે ગોરખનાથ એક સંત હતા અને આ શબ્દના ઉપયોગથી તેમના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચતી હતી.
ગોરખનાથ સંપ્રદાયના લોકોએ તાજેતરમાં જ મુખ્યમંત્રી ખટ્ટરની મુલાકાત લીધી હતી અને ગોરખધંધા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા તેમના સમક્ષ માંગણી કરી હતી. તેમની માંગણીને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા 'ગોરખધંધા' શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનું કારણ પણ આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે ગોરખનાથ એક સંત હતા અને આ શબ્દના ઉપયોગથી તેમના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચતી હતી.
ગોરખનાથ સંપ્રદાયના લોકોએ તાજેતરમાં જ મુખ્યમંત્રી ખટ્ટરની મુલાકાત લીધી હતી અને ગોરખધંધા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા તેમના સમક્ષ માંગણી કરી હતી. તેમની માંગણીને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.