Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાથી અમલી બનાવાયેલા ૩ નવા કૃષિ કાયદાના વિરોધમાં ૩૨થી વધુ ખેડૂત સંગઠનોના નેજા હેઠળ છેલ્લા ૧૫ દિવસથી દિલ્હીની સરહદો પર ઘેરો નાખીને બેઠેલા હજારો ખેડૂતો અને સરકાર વચ્ચેનો ગજગ્રાહ બુધવારે વધુ ઉગ્ર બન્યો હતો. મંગળવારે મોડી રાત સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની ખેડૂત આગેવાનોની બેઠકમાં સરકારે ખેડૂતોને નવા પ્રસ્તાવનો મુસદ્દો મોકલી આપવાની ઓફર આપી હતી. તે અંતર્ગત સરકારે બુધવારે ખેડૂત સંગઠનોને ૩ કૃષિ કાયદામાં તેમની ઓછામાં ઓછી ૭ માગ પ્રમાણે સુધારા કરવાની તૈયારી બતાવી હતી. સરકારે પ્રસ્તાવના મુસદ્દામાં ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવની પ્રથા જારી રહેશે તેવી લેખિત બાંયધરીની ખાતરી ઉચ્ચારી હતી. સરકારે જણાવ્યું હતું કે, તે કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોની ચિંતા પર તમામ સ્પષ્ટતા કરવા તૈયાર છે. સરકારે નિયમિત એપીએમસીની બહાર ટ્રેડિંગ માટે પ્રાઇવેટ ટ્રેડર્સની નોંધણી, એપીએમસી મંડી અને પ્રાઇવેટ માર્કેટ પર એકસમાન ટેક્સ લાગુ કરવા, કોન્ટ્રાક્ટ ફાર્મિંગના વિવાદોના ઉકેલ માટે ઉચ્ચ અદાલતોને પરવાનગી આપવા જેવા પ્રસ્તાવો ખેડૂતો સમક્ષ મૂક્યાં હતાં. સરકારે ખેડૂતોને જણાવ્યું હતું કે, તે ખુલ્લા મને ખેડૂતોની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. 
 

કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાથી અમલી બનાવાયેલા ૩ નવા કૃષિ કાયદાના વિરોધમાં ૩૨થી વધુ ખેડૂત સંગઠનોના નેજા હેઠળ છેલ્લા ૧૫ દિવસથી દિલ્હીની સરહદો પર ઘેરો નાખીને બેઠેલા હજારો ખેડૂતો અને સરકાર વચ્ચેનો ગજગ્રાહ બુધવારે વધુ ઉગ્ર બન્યો હતો. મંગળવારે મોડી રાત સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની ખેડૂત આગેવાનોની બેઠકમાં સરકારે ખેડૂતોને નવા પ્રસ્તાવનો મુસદ્દો મોકલી આપવાની ઓફર આપી હતી. તે અંતર્ગત સરકારે બુધવારે ખેડૂત સંગઠનોને ૩ કૃષિ કાયદામાં તેમની ઓછામાં ઓછી ૭ માગ પ્રમાણે સુધારા કરવાની તૈયારી બતાવી હતી. સરકારે પ્રસ્તાવના મુસદ્દામાં ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવની પ્રથા જારી રહેશે તેવી લેખિત બાંયધરીની ખાતરી ઉચ્ચારી હતી. સરકારે જણાવ્યું હતું કે, તે કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોની ચિંતા પર તમામ સ્પષ્ટતા કરવા તૈયાર છે. સરકારે નિયમિત એપીએમસીની બહાર ટ્રેડિંગ માટે પ્રાઇવેટ ટ્રેડર્સની નોંધણી, એપીએમસી મંડી અને પ્રાઇવેટ માર્કેટ પર એકસમાન ટેક્સ લાગુ કરવા, કોન્ટ્રાક્ટ ફાર્મિંગના વિવાદોના ઉકેલ માટે ઉચ્ચ અદાલતોને પરવાનગી આપવા જેવા પ્રસ્તાવો ખેડૂતો સમક્ષ મૂક્યાં હતાં. સરકારે ખેડૂતોને જણાવ્યું હતું કે, તે ખુલ્લા મને ખેડૂતોની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ