Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટથી (Surat, Hajira port) દીવ (Diu) વચ્ચે ક્રૂઝ (cruise service) સેવાની શરૂઆત થવાની છે. આવતી કાલે એટલે 31 માર્ચના રોજ કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના (Mansukh mandavia) હસ્તે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાથી વર્ચ્યુઅલ (virtual) લોકાર્પણ કરવામાં આવશે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. ત્યારબાદ શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.
આ ક્રૂઝ અઠવાડિયામાં બે વાર ટ્રીપ કરશે. ક્રૂઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ પહોંચશે. જે બાદ તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. હજીરાથી દીવ જતા અંદાજે 13થી 14 કલાક જેટલો સમય લાગે છે. આ ક્રૂઝમાં 300 મુસાફરો પ્રવાસ કરી શકશે. આ ઉપરાંત શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.
 

ગુજરાતીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટથી (Surat, Hajira port) દીવ (Diu) વચ્ચે ક્રૂઝ (cruise service) સેવાની શરૂઆત થવાની છે. આવતી કાલે એટલે 31 માર્ચના રોજ કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના (Mansukh mandavia) હસ્તે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાથી વર્ચ્યુઅલ (virtual) લોકાર્પણ કરવામાં આવશે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. ત્યારબાદ શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.
આ ક્રૂઝ અઠવાડિયામાં બે વાર ટ્રીપ કરશે. ક્રૂઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ પહોંચશે. જે બાદ તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. હજીરાથી દીવ જતા અંદાજે 13થી 14 કલાક જેટલો સમય લાગે છે. આ ક્રૂઝમાં 300 મુસાફરો પ્રવાસ કરી શકશે. આ ઉપરાંત શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ