કોરોનાની રસી તૈયાર થતાં જ દેશના દરેક નાગરિકને રસી અપાશે તેવી ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકી દેતાં આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે, દેશના દરેક નાગરિકને કોરોનાની રસી આપીશું. ફક્ત કોરોના સંક્રમણની ચેઇન તૂટે એટલા લોકોને જ કોરોનાની રસી આપવામાં આવશે. મંગળવારે આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે, સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે, સમગ્ર દેશમાં રસીકરણ હાથ કરાશે. કોરોના રસીની અસર પર રસીકરણના કાર્યક્રમનો આધાર રહેશે. અમારો લક્ષ્યાંક કોરોના સંક્રમણની ચેઇન તોડવાનો છે. જો ક્રિટિકલ માસ એટલે કે, જોખમ ધરાવતા લોકોને રસી આપવામાં અને સંક્રમણની ચેઇન તોડવામાં સફળ રહીશું તો આખા દેશની વસતીને કોરોનાની રસી આપવાની જરૂર રહેશે નહીં. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પણ જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે, સરકારે ક્યારેય એમ નથી કહ્યું કે દેશની સમગ્ર વસતીને કોરોનાની રસી અપાશે. આપણે સાચી માહિતીના આધારે વૈજ્ઞાનિક મુદ્દાઓની ચર્ચા કરીએ તે મહત્ત્વનું છે.
કોરોનાની રસી તૈયાર થતાં જ દેશના દરેક નાગરિકને રસી અપાશે તેવી ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકી દેતાં આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે, દેશના દરેક નાગરિકને કોરોનાની રસી આપીશું. ફક્ત કોરોના સંક્રમણની ચેઇન તૂટે એટલા લોકોને જ કોરોનાની રસી આપવામાં આવશે. મંગળવારે આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે, સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે, સમગ્ર દેશમાં રસીકરણ હાથ કરાશે. કોરોના રસીની અસર પર રસીકરણના કાર્યક્રમનો આધાર રહેશે. અમારો લક્ષ્યાંક કોરોના સંક્રમણની ચેઇન તોડવાનો છે. જો ક્રિટિકલ માસ એટલે કે, જોખમ ધરાવતા લોકોને રસી આપવામાં અને સંક્રમણની ચેઇન તોડવામાં સફળ રહીશું તો આખા દેશની વસતીને કોરોનાની રસી આપવાની જરૂર રહેશે નહીં. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પણ જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે, સરકારે ક્યારેય એમ નથી કહ્યું કે દેશની સમગ્ર વસતીને કોરોનાની રસી અપાશે. આપણે સાચી માહિતીના આધારે વૈજ્ઞાનિક મુદ્દાઓની ચર્ચા કરીએ તે મહત્ત્વનું છે.