સંસદીય મુદ્દાઓની મંત્રીમંડળ સમિતિએ 29 જાન્યુઆરીએ બજેટ સત્રની ભલામણ કરી હતી. જે હેઠળ આ વખતે બે ભાગમાં બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રનો પહેલો ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી અને બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધીની ભલામણ કરવામાં આવી હતી.
માહિતી મુજબ સીસીપીએની ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 જાન્યુઆરીએ સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. જે મુજબ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. કોરોના કાળમાં શરુ કરવામાં આવી રહેલા બજેય સત્ર દરમિયાન તમામે કોવિડ ગાઇડલાઇનનુ પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું હતું. બંન્ને સદનોની કાર્યવાહી 4-4 કલાકની રહેશે.
સંસદીય મુદ્દાઓની મંત્રીમંડળ સમિતિએ 29 જાન્યુઆરીએ બજેટ સત્રની ભલામણ કરી હતી. જે હેઠળ આ વખતે બે ભાગમાં બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રનો પહેલો ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી અને બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધીની ભલામણ કરવામાં આવી હતી.
માહિતી મુજબ સીસીપીએની ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 જાન્યુઆરીએ સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. જે મુજબ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. કોરોના કાળમાં શરુ કરવામાં આવી રહેલા બજેય સત્ર દરમિયાન તમામે કોવિડ ગાઇડલાઇનનુ પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું હતું. બંન્ને સદનોની કાર્યવાહી 4-4 કલાકની રહેશે.