ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ આંદોલનો સરકાર અને ભાજપ માટે સમસ્યારૂપ ન બને તે માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી ગઈ છે. વિવિધ સરકારી કર્મચારીઓના સંગઠનોની માગણીઓ, પે-ગ્રેડ, કિસાન આંદોલન, એલઆરડી ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન વગેરેના ઉકેલ માટે 5 મંત્રીઓની કમિટિ રચવામાં આવી છે.
રાજ્યમાં વારંવાર વિવિધ માગણીને લઈને અલગ-અલગ કર્મચારી યુનિયન, પૂર્વ સૈનિકો, આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર ઉતરી આવે છે જેના કારણે સરકારની ચિંતા વધતી હોય છે.
આ કારણે સરકારે રાજ્યકક્ષાના જીતુ વાઘાણી, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને બ્રિજેશ મેરજા એમ કુલ 5 મંત્રીઓની એક કમિટિ રચી છે. આ કમિટિ વિવિધ આંદોલનકારીઓને શાંત પાડીને સરકારની સમસ્યાના સમાધાન શોધવા પ્રયત્નો કરશે. તેઓ પ્રજાના પ્રશ્નોનું ત્વરિત સમાધાન શોધવા પ્રયત્નો કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ આંદોલનો સરકાર અને ભાજપ માટે સમસ્યારૂપ ન બને તે માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી ગઈ છે. વિવિધ સરકારી કર્મચારીઓના સંગઠનોની માગણીઓ, પે-ગ્રેડ, કિસાન આંદોલન, એલઆરડી ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન વગેરેના ઉકેલ માટે 5 મંત્રીઓની કમિટિ રચવામાં આવી છે.
રાજ્યમાં વારંવાર વિવિધ માગણીને લઈને અલગ-અલગ કર્મચારી યુનિયન, પૂર્વ સૈનિકો, આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર ઉતરી આવે છે જેના કારણે સરકારની ચિંતા વધતી હોય છે.
આ કારણે સરકારે રાજ્યકક્ષાના જીતુ વાઘાણી, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને બ્રિજેશ મેરજા એમ કુલ 5 મંત્રીઓની એક કમિટિ રચી છે. આ કમિટિ વિવિધ આંદોલનકારીઓને શાંત પાડીને સરકારની સમસ્યાના સમાધાન શોધવા પ્રયત્નો કરશે. તેઓ પ્રજાના પ્રશ્નોનું ત્વરિત સમાધાન શોધવા પ્રયત્નો કરશે.