૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસબાનોને રૂપિયા ૫૦ લાખનું વળતર, સરકારી નોકરી અને રહેવા માટે મકાન આપવા સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે. અગાઉ બિલ્કિસબાનોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જાહેર કરેલું રૂપિયા પાંચ લાખનું વળતર અત્યંત ઓછું છે.
બિલ્કિસબાનોએ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતરને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે રૂપિયા પાંચ લાખના વળતરને વચગાળાની સહાય ગણાવી મામલાની સુનાવણી ૨૩મી એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. બિલ્કિસબાનોના વકીલ શોભા ગુપ્તાએ જણાવ્યું હતું કે અત્યંત જઘન્ય અપરાધનો ભોગ બન્યા પછી બિલ્કિસબાનો એક વિચરતી જાતિ જેવું જીવન પસાર કરી રહી છે તેથી તેને અસામાન્ય વળતર મળવું જોઈએ.
૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસબાનોને રૂપિયા ૫૦ લાખનું વળતર, સરકારી નોકરી અને રહેવા માટે મકાન આપવા સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે. અગાઉ બિલ્કિસબાનોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જાહેર કરેલું રૂપિયા પાંચ લાખનું વળતર અત્યંત ઓછું છે.
બિલ્કિસબાનોએ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતરને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે રૂપિયા પાંચ લાખના વળતરને વચગાળાની સહાય ગણાવી મામલાની સુનાવણી ૨૩મી એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. બિલ્કિસબાનોના વકીલ શોભા ગુપ્તાએ જણાવ્યું હતું કે અત્યંત જઘન્ય અપરાધનો ભોગ બન્યા પછી બિલ્કિસબાનો એક વિચરતી જાતિ જેવું જીવન પસાર કરી રહી છે તેથી તેને અસામાન્ય વળતર મળવું જોઈએ.