સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થવાનું છે તે પહેલાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, આગામી સત્રથી સંસદની કેન્ટીનમાં તમામ સાંસદો અને કર્મચારીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવામાં આવી છે અને તમામ ખાદ્ય પદાર્થો માટે જે મૂળ કિંમત હશે તે ચૂકવવાની રહેશે. તેનો સીધો અર્થ છે કે હવે સાંસદોને ૩૫ રૂપિયામાં વેજ થાળી અને ૫૦ રૂપિયામાં ચિકન કરી નહીં મળે.
ઓમ બિરલાએ વધુમાં જણાવ્યું કે, ૨૯મીથી બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે માટે સૌથી પહેલાં તો તમામ સાંસદો અને કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. ૨૭ અને ૨૮ દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે જે ફરજિયાત રહેશે. આ રિપોર્ટના આધારે જ તમામને પ્રવેશ આપવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યસભાની કામગીરી સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચાલશે જ્યારે લોકસભાની કામગીરી સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલશે.
સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થવાનું છે તે પહેલાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, આગામી સત્રથી સંસદની કેન્ટીનમાં તમામ સાંસદો અને કર્મચારીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવામાં આવી છે અને તમામ ખાદ્ય પદાર્થો માટે જે મૂળ કિંમત હશે તે ચૂકવવાની રહેશે. તેનો સીધો અર્થ છે કે હવે સાંસદોને ૩૫ રૂપિયામાં વેજ થાળી અને ૫૦ રૂપિયામાં ચિકન કરી નહીં મળે.
ઓમ બિરલાએ વધુમાં જણાવ્યું કે, ૨૯મીથી બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે માટે સૌથી પહેલાં તો તમામ સાંસદો અને કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. ૨૭ અને ૨૮ દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે જે ફરજિયાત રહેશે. આ રિપોર્ટના આધારે જ તમામને પ્રવેશ આપવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યસભાની કામગીરી સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચાલશે જ્યારે લોકસભાની કામગીરી સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલશે.