દેશમાંથી ગરીબી નાબૂદી માટે ગરીબોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ગ્રામીણ હેઠળ તેમણે મધ્યપ્રદેશનાં ૧૨,૦૦૦ ગામમાં ૧.૭૫ લાખ પરિવારોને ઘરની ચાવી સોંપીને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મોદીએ દાવો કર્યો હતો કે કોરોના સંકટ છતાં PMAY હેઠળ મકાનોને અડધા સમયમાં તૈયાર કરાયા હતા. ૧૨૫ દિવસને બદલે ૪૫થી ૬૦ દિવસમાં મકાનોનું કામ પૂરું કરાયું હતું. લોકડાઉન દરમિયાન જે મજૂરો હિજરત કરીને ઘરે ગયા હતા તેમનો પણ આમાં ફાળો હતો. ૨૦૨૨ સુધીમાં PMAY હેઠળ ૨ કરોડ ઘર બાંધવામાં આવશે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય કામકાજો માટે રૂ. ૨૩,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ અભિયાનને કારણે ગ્રામીણ રોજગારીને વેગ મળ્યો હતો. કોરોના સંકટમાં PMAY હેઠળ ઓછા સમયમાં ૧૮ લાખ મકાનો બાંધવામાં આવ્યા હતા.
દેશમાંથી ગરીબી નાબૂદી માટે ગરીબોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ગ્રામીણ હેઠળ તેમણે મધ્યપ્રદેશનાં ૧૨,૦૦૦ ગામમાં ૧.૭૫ લાખ પરિવારોને ઘરની ચાવી સોંપીને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મોદીએ દાવો કર્યો હતો કે કોરોના સંકટ છતાં PMAY હેઠળ મકાનોને અડધા સમયમાં તૈયાર કરાયા હતા. ૧૨૫ દિવસને બદલે ૪૫થી ૬૦ દિવસમાં મકાનોનું કામ પૂરું કરાયું હતું. લોકડાઉન દરમિયાન જે મજૂરો હિજરત કરીને ઘરે ગયા હતા તેમનો પણ આમાં ફાળો હતો. ૨૦૨૨ સુધીમાં PMAY હેઠળ ૨ કરોડ ઘર બાંધવામાં આવશે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય કામકાજો માટે રૂ. ૨૩,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ અભિયાનને કારણે ગ્રામીણ રોજગારીને વેગ મળ્યો હતો. કોરોના સંકટમાં PMAY હેઠળ ઓછા સમયમાં ૧૮ લાખ મકાનો બાંધવામાં આવ્યા હતા.