અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અપાતી અનામતના મામલામાં રાજ્ય સરકારોને એસસી-એસટીમાં વર્ગીકરણ કરવાનો અધિકાર નથી તેવા પોતાના જ વર્ષ ૨૦૦૪ના ચુકાદા પર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ ચુકાદા પર પુનઃ વિચારણા કરવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૪માં ઇ વી ચિન્નૈયાહ કેસમાં તત્કાલીન બંધારણીય બેન્ચે આપેલા ચુકાદા પર પુનઃ વિચારણા કરવાની જરૂર છે. જસ્ટિસ ઇંદિરા બેનરજી, જસ્ટિસ વિનીત સરણ, જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝનો સમાવેશ કરતી બેન્ચે જણાવ્યું હતું કે, ૨૦૦૪ના મામલામાં યોગ્ય રીતે નિર્ણય લેવાયો નહોતો. રાજ્ય સરકારો એસસી-એસટીમાં પેટાજાતિઓને વર્ગીકૃત કરીને પ્રાથમિકતા આપવા માટે કાયદા ઘડી શકે છે. બેન્ચે પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને પડકારતી પંજાબ સરકારની અપીલને હવે ૭ જજની બંધારણીય બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે.
અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અપાતી અનામતના મામલામાં રાજ્ય સરકારોને એસસી-એસટીમાં વર્ગીકરણ કરવાનો અધિકાર નથી તેવા પોતાના જ વર્ષ ૨૦૦૪ના ચુકાદા પર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ ચુકાદા પર પુનઃ વિચારણા કરવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૪માં ઇ વી ચિન્નૈયાહ કેસમાં તત્કાલીન બંધારણીય બેન્ચે આપેલા ચુકાદા પર પુનઃ વિચારણા કરવાની જરૂર છે. જસ્ટિસ ઇંદિરા બેનરજી, જસ્ટિસ વિનીત સરણ, જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝનો સમાવેશ કરતી બેન્ચે જણાવ્યું હતું કે, ૨૦૦૪ના મામલામાં યોગ્ય રીતે નિર્ણય લેવાયો નહોતો. રાજ્ય સરકારો એસસી-એસટીમાં પેટાજાતિઓને વર્ગીકૃત કરીને પ્રાથમિકતા આપવા માટે કાયદા ઘડી શકે છે. બેન્ચે પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને પડકારતી પંજાબ સરકારની અપીલને હવે ૭ જજની બંધારણીય બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે.