ગીર-સોમનાથ માં દોડવીર ઘનશ્યામ સુદાણી દ્વારા સોમનાથથી અયોધ્યા રામમંદિર સુધી 21 દિવસની મેરેથોન દોડની આજે શરૂઆત કરવામાં આવી છે. આ મેરેથોનમાં 1,800 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. ઘનશ્યામ સુદાણી 21 દિવસ સુધી સતત દોડીને અયોધ્યા પહોંચશે. આ માટે દોડવીર ઘનશ્યામ સુદાણી દરરોજ 90 કિલોમીટર જેટલી દોડ લગાવશે. આ એજ ઘનશ્યામ સુદાણી છે જેણે ગત 72મા પ્રજાસત્તાક દિવસ પર ફીટ ઇન્ડિયાના મેસેજ સાથે સતત 72 કિલોમીટરની દોડ લગાવી હતી. ઘનશ્યામ સુદાણી અત્યારસુધી અનેક દોડ લગાવી ચૂક્યો છે.
ગીર-સોમનાથ માં દોડવીર ઘનશ્યામ સુદાણી દ્વારા સોમનાથથી અયોધ્યા રામમંદિર સુધી 21 દિવસની મેરેથોન દોડની આજે શરૂઆત કરવામાં આવી છે. આ મેરેથોનમાં 1,800 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. ઘનશ્યામ સુદાણી 21 દિવસ સુધી સતત દોડીને અયોધ્યા પહોંચશે. આ માટે દોડવીર ઘનશ્યામ સુદાણી દરરોજ 90 કિલોમીટર જેટલી દોડ લગાવશે. આ એજ ઘનશ્યામ સુદાણી છે જેણે ગત 72મા પ્રજાસત્તાક દિવસ પર ફીટ ઇન્ડિયાના મેસેજ સાથે સતત 72 કિલોમીટરની દોડ લગાવી હતી. ઘનશ્યામ સુદાણી અત્યારસુધી અનેક દોડ લગાવી ચૂક્યો છે.