Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. મળતી માહિતી મુજબ તેઓ બુધવારે વહેલી સવારે પોતાના દેશથી માલદીવ જવા રવાના થયા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપવાના હતા. આ દરમિયાન તેઓ હવે દેશમાંથી ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ તરીકે રાજપક્ષેને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કસ્ટડીમાં લેવામાં આવે તેવી સંભાવનાથી બચવા તેઓ પદ છોડ્યા પહેલા જ દેશમાંથી ભાગી ગયા છે. જો કે, ગોટબાયા રાજપક્ષેએ બુધવારે રાજીનામું આપવાનું અને સત્તાના શાંતિપૂર્ણ સંક્રમણનો માર્ગ સ્પષ્ટ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે પહેલા જ તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. 
 

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. મળતી માહિતી મુજબ તેઓ બુધવારે વહેલી સવારે પોતાના દેશથી માલદીવ જવા રવાના થયા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપવાના હતા. આ દરમિયાન તેઓ હવે દેશમાંથી ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ તરીકે રાજપક્ષેને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કસ્ટડીમાં લેવામાં આવે તેવી સંભાવનાથી બચવા તેઓ પદ છોડ્યા પહેલા જ દેશમાંથી ભાગી ગયા છે. જો કે, ગોટબાયા રાજપક્ષેએ બુધવારે રાજીનામું આપવાનું અને સત્તાના શાંતિપૂર્ણ સંક્રમણનો માર્ગ સ્પષ્ટ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે પહેલા જ તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ