ભારતીય રેસલર્સ માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. આવું એટલા માટે કારણ કે, રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર લગાવેલા આરોપને દુર કર્યો છે. જેનો મતલબ એ કે, હવે WFI ઘરેલું ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે. તેમજ નેશનલ ટીમ સિવાય ઈન્ટરનેશનલ ઈવેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પણ કરી શકે છે.રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અને તેનો દરજ્જો NSF તરીકે જાળવી રાખ્યો છે.
ડિસેમ્બર 2023માં પ્રતિબંધ લાગ્યો હતો
રમત મંત્રાલયે 24 ડિસેમ્બર 2023ના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કર્યું હતુ. સંજય સિંહની પેનલે 21 ડિસેમ્બર 2023ના રોજ WFIની ચૂંટણી જીતી હતી.પરંતુ તેના 3 દિવસ બાદ WFI પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ સસ્પેન્શન ફેડરેશનના મનમાનીના કામને કારણે લગાવવામાં આવ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, મંત્રાલયના આ નિર્ણય પર બ્રિજભૂષણ શરણ સિંહનો હાથ છે.ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે WFI ને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણય સાથે તેમનો કોઈ સંબંધ નથી.
ભારતીય રેસલર્સ માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. આવું એટલા માટે કારણ કે, રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર લગાવેલા આરોપને દુર કર્યો છે. જેનો મતલબ એ કે, હવે WFI ઘરેલું ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે. તેમજ નેશનલ ટીમ સિવાય ઈન્ટરનેશનલ ઈવેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પણ કરી શકે છે.રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અને તેનો દરજ્જો NSF તરીકે જાળવી રાખ્યો છે.
ડિસેમ્બર 2023માં પ્રતિબંધ લાગ્યો હતો
રમત મંત્રાલયે 24 ડિસેમ્બર 2023ના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કર્યું હતુ. સંજય સિંહની પેનલે 21 ડિસેમ્બર 2023ના રોજ WFIની ચૂંટણી જીતી હતી.પરંતુ તેના 3 દિવસ બાદ WFI પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ સસ્પેન્શન ફેડરેશનના મનમાનીના કામને કારણે લગાવવામાં આવ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, મંત્રાલયના આ નિર્ણય પર બ્રિજભૂષણ શરણ સિંહનો હાથ છે.ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે WFI ને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણય સાથે તેમનો કોઈ સંબંધ નથી.