Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા શરદ પવારે ગુરૂવારે કોંગ્રેસ અંગે અનેક મહત્વની વાતો કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હવે નબળી પડી ગઈ છે. જોકે સાથે જ એમ પણ કહ્યું હતું કે, ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસ જ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ઈડી અને પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપો અંગે પણ વાત કરી હતી. 
શરદ પવારે જણાવ્યું કે, કોંગ્રેસના શાસન કાળ દરમિયાન અમુક રાજ્યોમાં અમુક ઘટનાઓ બની. પરંતુ હવે જે રીતે ઈડીનો દુરૂપયોગ થઈ રહ્યો છે તેવું કદી નહોતું બન્યું. 4-5 વર્ષ પહેલા ઈડી શું હોય છે તે આપણને ખબર પણ નહોતી. ઈડી અંગે કદી ચર્ચા નથી થઈ. પહેલા વધુમાં વધુ એવું બનતું કે, કેસ સીબીઆઈ પાસે જશે પરંતુ તેનાથી વધારે કશું નહોતું. આ ઈડી શું છે? તે હવે ખબર પડી ગઈ છે. ઘણી વખત લોકોની ધરપકડ કરવામાં આવે છે, પ્રતિષ્ઠિત લોકોને બોલાવવામાં આવે છે તે એજન્સીનો સ્પષ્ટપણે દુરૂપયોગ છે. 
 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા શરદ પવારે ગુરૂવારે કોંગ્રેસ અંગે અનેક મહત્વની વાતો કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હવે નબળી પડી ગઈ છે. જોકે સાથે જ એમ પણ કહ્યું હતું કે, ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસ જ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ઈડી અને પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપો અંગે પણ વાત કરી હતી. 
શરદ પવારે જણાવ્યું કે, કોંગ્રેસના શાસન કાળ દરમિયાન અમુક રાજ્યોમાં અમુક ઘટનાઓ બની. પરંતુ હવે જે રીતે ઈડીનો દુરૂપયોગ થઈ રહ્યો છે તેવું કદી નહોતું બન્યું. 4-5 વર્ષ પહેલા ઈડી શું હોય છે તે આપણને ખબર પણ નહોતી. ઈડી અંગે કદી ચર્ચા નથી થઈ. પહેલા વધુમાં વધુ એવું બનતું કે, કેસ સીબીઆઈ પાસે જશે પરંતુ તેનાથી વધારે કશું નહોતું. આ ઈડી શું છે? તે હવે ખબર પડી ગઈ છે. ઘણી વખત લોકોની ધરપકડ કરવામાં આવે છે, પ્રતિષ્ઠિત લોકોને બોલાવવામાં આવે છે તે એજન્સીનો સ્પષ્ટપણે દુરૂપયોગ છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ