મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખેલ છતાં NCP વડા શરદ પવાર ગુસ્સામાં નહીં પણ ખૂબ જ શાંત દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે, તેઓ આ વિશે પહેલેથી જ જાણતા હતા. તેમણે ભત્રીજા અજિત પવારના અનેક ધારાસભ્યો સાથે રાજ્ય સરકારમાં સામેલ થવા બદલ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમના ભત્રીજા અને તેમની પાર્ટીના તમામ ધારાસભ્યો જે NDA સરકારમાં સામેલ થયા છે તેઓ તમામ આરોપોમાંથી મુક્ત થઈ જશે.