ગોધરાકાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય ગૃહમંત્રાલયની ભલામણ બાદ લીધો છે. સુત્રો અનુસાર, કૂલ 14 સાક્ષીઓની સુરક્ષા પરત લેવામાં આવી છે. CISFના 150 જવાનો આ સાક્ષીઓની સુરક્ષા કરતા હતા.
ગૃહમંત્રાલયે આ નિર્ણય માટે વિશેષ તપાસ ટીમ (SIT)ના રિપોર્ટને આધાર બનાવ્યો છે. SITએ 10 નવેમ્બર 2023માં પોતાનો ભલામણ રિપોર્ટ સોપ્યો હતો જેમાં સાક્ષીઓની સુરક્ષા હટાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ પગલુ ભરવામાં આવ્યું છે.