ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણા કર્યા છે. નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમનાં ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકારે PM મોદીને તેમના જન્મદિને ભેટ અપી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસેમાંથી નર્મદા મૈયાનું ઇ-પૂજન કર્યું છે. આ સાથે નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવ્યા છે.
ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણા કર્યા છે. નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમનાં ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકારે PM મોદીને તેમના જન્મદિને ભેટ અપી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસેમાંથી નર્મદા મૈયાનું ઇ-પૂજન કર્યું છે. આ સાથે નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવ્યા છે.