ત્રણે કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ, રાલોદ બાદ હવે આમ દમી પાર્ટીએ પણ કિસાન મહાપંચાયતની શરુઆત કરી છે. જેના ભાગરુપે આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં દિલ્હી બાયપાસ નજીક કિસાન મહાપંચાયતનું યોજન કર્યુ હતું. જેમાં આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યુ હતું. પોતાના સંબોધનમાં તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ત્રણે કૃષિ કાયદા ખેડૂતો માટે ડેથ વોરંટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેટલાક મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાયદા બનાવ્યા છે. જેનાથી ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવશે. ખેડૂતો પોતાના ખેતરમાં મજૂર બની જશે. આ કરો યા મરોની લડાઇ છે.
ત્રણે કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ, રાલોદ બાદ હવે આમ દમી પાર્ટીએ પણ કિસાન મહાપંચાયતની શરુઆત કરી છે. જેના ભાગરુપે આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં દિલ્હી બાયપાસ નજીક કિસાન મહાપંચાયતનું યોજન કર્યુ હતું. જેમાં આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યુ હતું. પોતાના સંબોધનમાં તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ત્રણે કૃષિ કાયદા ખેડૂતો માટે ડેથ વોરંટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેટલાક મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાયદા બનાવ્યા છે. જેનાથી ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવશે. ખેડૂતો પોતાના ખેતરમાં મજૂર બની જશે. આ કરો યા મરોની લડાઇ છે.