રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે આંધી- તોફાન અને વરસાદે કેર વરસાવ્યો હતો. આ દરમિયાન બાડમેરના જસોલ ગામમાં ચાલી રહેલી રામકથા ૧૪ લોકોની જિંદગી ભરખી ગઈ હતી. જસોલ ગામમાં જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી ત્યારે અચાનક આંધી તોફાન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને તોફાનને કારણે રામકથાનો મહાકાય પંડાલ તૂટી પડયો હતો. જેમાંથી ૧૪ લોકો મોતને ભેટયા હતા તથા અનેક ઘાયલ થયા હતા.
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે આંધી- તોફાન અને વરસાદે કેર વરસાવ્યો હતો. આ દરમિયાન બાડમેરના જસોલ ગામમાં ચાલી રહેલી રામકથા ૧૪ લોકોની જિંદગી ભરખી ગઈ હતી. જસોલ ગામમાં જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી ત્યારે અચાનક આંધી તોફાન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને તોફાનને કારણે રામકથાનો મહાકાય પંડાલ તૂટી પડયો હતો. જેમાંથી ૧૪ લોકો મોતને ભેટયા હતા તથા અનેક ઘાયલ થયા હતા.