રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપના 103, કોંગ્રેસના 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. આમ કુલ 170 મત પડ્યા છે. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) મતદાનથી દૂર રહ્યું છે, આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે. કુલ 170 મત પડ્યા હોવાથી હવે દરેક ઉમેદવારે જીતવા માટે 34 મતની જરૂર પડશે. આ પહેલા BTPના 2 ધારાસભ્યને ગણીને 172 મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને 34.40 મતની જરૂર હતી. 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે.
રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપના 103, કોંગ્રેસના 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. આમ કુલ 170 મત પડ્યા છે. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) મતદાનથી દૂર રહ્યું છે, આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે. કુલ 170 મત પડ્યા હોવાથી હવે દરેક ઉમેદવારે જીતવા માટે 34 મતની જરૂર પડશે. આ પહેલા BTPના 2 ધારાસભ્યને ગણીને 172 મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને 34.40 મતની જરૂર હતી. 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે.