પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાકાંડમાં 2 દશકા કરતાં પણ વધારે સમયથી ઉંમરકેદની સજા કાપી રહેલી નલિની શ્રીહરનને રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. તમિલનાડુ સરકારે શ્રીહરનની બીમાર માતાની અરજી પર એક મહિનાની પેરોલ આપવાનો નિર્ણય લીધો છે. પ્રદેશ સરકારે ગુરૂવારે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયને આ જાણકારી આપી હતી. તમિલનાડુ સરકારે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયને સૂચના આપી હતી કે, રાજ્યએ રાજ્યપાલને રાજીવ ગાંધી હત્યાકાંડના તમામ 7 દોષીઓને મુક્ત કરવાની ભલામણ કરી હતી.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાકાંડમાં 2 દશકા કરતાં પણ વધારે સમયથી ઉંમરકેદની સજા કાપી રહેલી નલિની શ્રીહરનને રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. તમિલનાડુ સરકારે શ્રીહરનની બીમાર માતાની અરજી પર એક મહિનાની પેરોલ આપવાનો નિર્ણય લીધો છે. પ્રદેશ સરકારે ગુરૂવારે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયને આ જાણકારી આપી હતી. તમિલનાડુ સરકારે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયને સૂચના આપી હતી કે, રાજ્યએ રાજ્યપાલને રાજીવ ગાંધી હત્યાકાંડના તમામ 7 દોષીઓને મુક્ત કરવાની ભલામણ કરી હતી.