ભારતે સાઉથ આફ્રિકા સામે ૯મી જુનથી શરૃ થનારી પાંચ ટી-૨૦ની શ્રેણીમાં કે.એલ. રાહુલને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. આઇપીએલમાં રમીને થાકેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા,ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ગુજરાત ટાઈટન્સ તરફથી શાનદાર દેખાવ કરનારા હાર્દિક પંડયાએ પુનરાગમન કર્યું છે.
આઇપીએલમાં પ્રભાવ પાડનારા અર્ષદીપ સિંઘ અને ઉમરાન મલીકને પણ પહેલી વખત ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને સેમસનને પડતા મૂકવામાં આવ્યા છે. આઇપીએલમાં જોરદાર દેખાવ કરનારા યઝવેનદ્ર ચહલ અને કુલદી યાદવનો પણ ટીમમાં સમાવેશ થયો છે.
ભારતે સાઉથ આફ્રિકા સામે ૯મી જુનથી શરૃ થનારી પાંચ ટી-૨૦ની શ્રેણીમાં કે.એલ. રાહુલને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. આઇપીએલમાં રમીને થાકેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા,ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ગુજરાત ટાઈટન્સ તરફથી શાનદાર દેખાવ કરનારા હાર્દિક પંડયાએ પુનરાગમન કર્યું છે.
આઇપીએલમાં પ્રભાવ પાડનારા અર્ષદીપ સિંઘ અને ઉમરાન મલીકને પણ પહેલી વખત ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને સેમસનને પડતા મૂકવામાં આવ્યા છે. આઇપીએલમાં જોરદાર દેખાવ કરનારા યઝવેનદ્ર ચહલ અને કુલદી યાદવનો પણ ટીમમાં સમાવેશ થયો છે.