વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર કોંગ્રેસ નેતા પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે, જ્ઞાનવાપીનો મુદ્દો ભારતની આસ્થા અને જન ભાવનાઓ સાથે જોડાયેલો છે અને કોર્ટમાં વિચારાધીન છે પરંતુ સવાલ એ છે કે, શિવલિંગને અત્યાર સુધી શા માટે અને કોના દ્વારા છુપાવવામાં આવ્યું છે.
કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે, પ્રત્યક્ષને પ્રમાણની આવશ્યકતા નથી હોતી ન્યાયતંત્રનો જે પણ આદેશ હશે તેનું બધાએ પાલન કરવું પડશે. પ્રમોદ ક્રિષ્નમે આગળ કહ્યું કે, કુતુબ મિનાર અને તાજમહેલ ભારત સરકાર હેઠળ છે અને કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તેથી સરકારે તાજમહેલ અને કુતુબ મિનારને હિંદુઓને સોંપી દેવા જોઈએ આ વિષય ભારત સરકારનો છે. પરંતુ અમે રાષ્ટ્ર અને દેશની સાથે છીએ.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર કોંગ્રેસ નેતા પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે, જ્ઞાનવાપીનો મુદ્દો ભારતની આસ્થા અને જન ભાવનાઓ સાથે જોડાયેલો છે અને કોર્ટમાં વિચારાધીન છે પરંતુ સવાલ એ છે કે, શિવલિંગને અત્યાર સુધી શા માટે અને કોના દ્વારા છુપાવવામાં આવ્યું છે.
કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે, પ્રત્યક્ષને પ્રમાણની આવશ્યકતા નથી હોતી ન્યાયતંત્રનો જે પણ આદેશ હશે તેનું બધાએ પાલન કરવું પડશે. પ્રમોદ ક્રિષ્નમે આગળ કહ્યું કે, કુતુબ મિનાર અને તાજમહેલ ભારત સરકાર હેઠળ છે અને કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તેથી સરકારે તાજમહેલ અને કુતુબ મિનારને હિંદુઓને સોંપી દેવા જોઈએ આ વિષય ભારત સરકારનો છે. પરંતુ અમે રાષ્ટ્ર અને દેશની સાથે છીએ.