Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં કોરોનાની પાયમાલી વચ્ચે સંભવિત સંપૂર્ણ લોકડાઉન સામે વિરોધ શરૂ થયો છે. શનિવારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભાજપના નેતા ઉદયન રાજે ભોસલે હાથમાં કટોરો લઈને ભીખ માંગતા રસ્તા પર જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકએન્ડ લોકડાઉનના કારણે વેપારીઓ ત્રસ્ત છે અને ગરીબોને ભૂખે મરવા, તેમજ ભૂખે સુવાની હાલાકી વેઠવી પડી રહી છે.
તમને જણાવી દઈએ કે કોરોના સામે લોકડાઉનને લઈને વિરોધ પર બેસેલા ભોસલેએ ભિખારી આંદોલનમાંથી 450 રૂપિયા એકઠા કર્યા હતા. અને આ 450 રૂપિયાની રકમ લઈને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટે મળ્યા હતા અને લોકડાઉન ઉપર ફેરવિચારણા કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારમાં બેઠેલા નિષ્ણાત જૂથને કોઈ પણ બાબતમાં નિપુણતા હોતી નથી. લોકડાઉન એ સમસ્યાનું સમાધાન હોઈ શકે નહીં.
 

મહારાષ્ટ્રમાં કોરોનાની પાયમાલી વચ્ચે સંભવિત સંપૂર્ણ લોકડાઉન સામે વિરોધ શરૂ થયો છે. શનિવારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભાજપના નેતા ઉદયન રાજે ભોસલે હાથમાં કટોરો લઈને ભીખ માંગતા રસ્તા પર જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકએન્ડ લોકડાઉનના કારણે વેપારીઓ ત્રસ્ત છે અને ગરીબોને ભૂખે મરવા, તેમજ ભૂખે સુવાની હાલાકી વેઠવી પડી રહી છે.
તમને જણાવી દઈએ કે કોરોના સામે લોકડાઉનને લઈને વિરોધ પર બેસેલા ભોસલેએ ભિખારી આંદોલનમાંથી 450 રૂપિયા એકઠા કર્યા હતા. અને આ 450 રૂપિયાની રકમ લઈને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટે મળ્યા હતા અને લોકડાઉન ઉપર ફેરવિચારણા કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારમાં બેઠેલા નિષ્ણાત જૂથને કોઈ પણ બાબતમાં નિપુણતા હોતી નથી. લોકડાઉન એ સમસ્યાનું સમાધાન હોઈ શકે નહીં.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ