દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે કહ્યું કે, આ પ્રકારના કાયદાને ટૂંક સમયમાં લાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પટેલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા સમય અગાઉ જ કેન્દ્ર સરકાર સંસદમાં વસ્તી નિયંત્રણ કાયદાને લાવવાની જરૂરિયાત પર ઈનકાર કરી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં બીજેપી સાંસદ રાકેશ સિન્હાની તરફથી રજૂ કરવામાં આવેલ વસ્તી નિયંત્રણ બિલ પર કહ્યું હતું કે, લોકો પર દબાણ મૂકવાને બદલે સરકાર તેમને વસ્તી નિયંત્રણ માટે સફળતા પૂર્વક જાગૃત કરી રહી છે.
દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે કહ્યું કે, આ પ્રકારના કાયદાને ટૂંક સમયમાં લાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પટેલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા સમય અગાઉ જ કેન્દ્ર સરકાર સંસદમાં વસ્તી નિયંત્રણ કાયદાને લાવવાની જરૂરિયાત પર ઈનકાર કરી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં બીજેપી સાંસદ રાકેશ સિન્હાની તરફથી રજૂ કરવામાં આવેલ વસ્તી નિયંત્રણ બિલ પર કહ્યું હતું કે, લોકો પર દબાણ મૂકવાને બદલે સરકાર તેમને વસ્તી નિયંત્રણ માટે સફળતા પૂર્વક જાગૃત કરી રહી છે.