કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક એવું બયાન આપ્યું કે એના બાદ રાજનૈતિક ચર્ચાઓએ જોર પકડી લીધું. રાહુલે કહ્યું કે ઉત્તર ભારતમાં “અલગ પ્રકારના રાજકારણની આદત થઇ ગઈ હતી”, કેરળ આવવું એમના માટે અલગ અને નવો અનુભવ છે. કારણ કે અહીંના લોકોને મુદ્દામાં વધુ રસ હોય છે. કેરળ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીતલાના નેતૃત્વ હેઠળ યોજાયેલી ‘ઐશ્વર્ય યાત્રા’ના સમાપન સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કેરળની જનતા પાસેથી ઘણું શીખ્યા છે અને અહીંના લોકોની શાણપણને સમજ્યા છે. તેમણે કહ્યું, “પહેલા 15 વર્ષ હું ઉત્તર ભારતમાં સાંસદ હતો. તેથી મને વિવિધ પ્રકારના રાજકારણની ટેવ પડી ગઈ હતી. કેરળ આવવું મારા માટે એક નવો અનુભવ હતો. કારણ કે અચાનક જ મેં જોયું કે લોકો માત્ર દેખાવ માટે નહીં, પરંતુ તેના વિશે ઊંડાણ પૂર્વક મુદાઓ પર ચર્ચા કરે છે.”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક એવું બયાન આપ્યું કે એના બાદ રાજનૈતિક ચર્ચાઓએ જોર પકડી લીધું. રાહુલે કહ્યું કે ઉત્તર ભારતમાં “અલગ પ્રકારના રાજકારણની આદત થઇ ગઈ હતી”, કેરળ આવવું એમના માટે અલગ અને નવો અનુભવ છે. કારણ કે અહીંના લોકોને મુદ્દામાં વધુ રસ હોય છે. કેરળ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીતલાના નેતૃત્વ હેઠળ યોજાયેલી ‘ઐશ્વર્ય યાત્રા’ના સમાપન સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કેરળની જનતા પાસેથી ઘણું શીખ્યા છે અને અહીંના લોકોની શાણપણને સમજ્યા છે. તેમણે કહ્યું, “પહેલા 15 વર્ષ હું ઉત્તર ભારતમાં સાંસદ હતો. તેથી મને વિવિધ પ્રકારના રાજકારણની ટેવ પડી ગઈ હતી. કેરળ આવવું મારા માટે એક નવો અનુભવ હતો. કારણ કે અચાનક જ મેં જોયું કે લોકો માત્ર દેખાવ માટે નહીં, પરંતુ તેના વિશે ઊંડાણ પૂર્વક મુદાઓ પર ચર્ચા કરે છે.”