પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ભારતીય વાણિજ્ય તથા ઉદ્યોગ મહાસંઘ (FICCI)ની 93મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) અને વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યુ છે. આ સંબંધન ડિજિટલ માધ્યમથી થઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, વર્, 2020 ટ્વેન્ટી-ટ્વેન્ટીની મેચમાં આપણે ઘણી વાર સ્થિતિઓને ખુબ ઝડપથી બદલતી જોઈ છે. પરંતુ વર્ષ 2020 બધાને પાછળ છોડી ગયું. આપણા દેશ અને દુનિયાએ આ વર્ષમાં ઉથલ-પાછલ જોઈ. પીએમે કહ્યુ કે, સારી વાત છે કે કોરોનાને કારણે સ્થિતિ જેટલી બગડી એટલે ઝડપથી સુધરી રહી છે.
પીએમ મોદીએ કૃષિ કાયદાની ફરી પ્રશંસા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ સુધારાની ચર્ચા કરતા કહ્યુ કે, નવા કૃષિ સુધારાથી કિસાનોને ફાયદો થવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, કૃષિ સાથે જોડાયેલા તમામ દીવાલોને હટાવી રહ્યાં છે. નવા કૃષિ કાયદાથી કિસાનોને નવી બજાર મળશે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે. પીએમ મોદીએ કહ્યુ કે, કૃષિ ક્ષેત્રમાં રોકાણથી કિસાનોને ખુબ ફાયદો થશે. તેમને નવા વિકલ્પ મળશે, નવી બજાર ખુલશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ભારતીય વાણિજ્ય તથા ઉદ્યોગ મહાસંઘ (FICCI)ની 93મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) અને વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યુ છે. આ સંબંધન ડિજિટલ માધ્યમથી થઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, વર્, 2020 ટ્વેન્ટી-ટ્વેન્ટીની મેચમાં આપણે ઘણી વાર સ્થિતિઓને ખુબ ઝડપથી બદલતી જોઈ છે. પરંતુ વર્ષ 2020 બધાને પાછળ છોડી ગયું. આપણા દેશ અને દુનિયાએ આ વર્ષમાં ઉથલ-પાછલ જોઈ. પીએમે કહ્યુ કે, સારી વાત છે કે કોરોનાને કારણે સ્થિતિ જેટલી બગડી એટલે ઝડપથી સુધરી રહી છે.
પીએમ મોદીએ કૃષિ કાયદાની ફરી પ્રશંસા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ સુધારાની ચર્ચા કરતા કહ્યુ કે, નવા કૃષિ સુધારાથી કિસાનોને ફાયદો થવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, કૃષિ સાથે જોડાયેલા તમામ દીવાલોને હટાવી રહ્યાં છે. નવા કૃષિ કાયદાથી કિસાનોને નવી બજાર મળશે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે. પીએમ મોદીએ કહ્યુ કે, કૃષિ ક્ષેત્રમાં રોકાણથી કિસાનોને ખુબ ફાયદો થશે. તેમને નવા વિકલ્પ મળશે, નવી બજાર ખુલશે.