Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી પીએમ મોદી ફરી એકવાર ૩૦મીએ પીએમ પદનાં શપથ લે તેવી શક્યતા છે. પીએમ મોદી શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા તેમજ પીએમ સહિત આખી કેબિનેટનું રાજીનામું આપ્યું હતું. જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો. આ અગાઉ કેબિનેટની છેલ્લી બેઠકમાં ૧૬મી લોકસભા બરખાસ્ત કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. ભાજપનાં નવા ચૂંટાયેલા સાંસદો શનિવારે મોદીને એનડીએની સંસદીય પક્ષની બેઠકમાં નવા નેતા ચૂંટશે અને પીએમનાં હોદ્દા માટે પસંદ કરશે. મોદી અને એનડીએનાં નેતાઓ રાષ્ટ્રપતિને મળીને સરકાર રચવાનો દાવો કરશે. મોદી પ્રધાનોના નામ પસંદ કરશે અને તેમની સાથે શપથ લેવરાવશે. ૧૬મી લોકસભાની મુદત ૩ જૂને પૂરી થાય છે. આથી ૩ જૂન પહેલાં નવી ૧૭મી લોકસભાની રચના કરાશે. ૨૦૧૪માં મોદીએ ૨૬મી મેનાં રોજ શપથ લીધા હતા. ચૂંટણી  પંચ દ્વારા તમામ વિજેતા ઉમેદવારોની યાદી શનિવારે  રાષ્ટ્રપતિને સોંપવામાં આવે તેવું મનાય છે.
 

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી પીએમ મોદી ફરી એકવાર ૩૦મીએ પીએમ પદનાં શપથ લે તેવી શક્યતા છે. પીએમ મોદી શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા તેમજ પીએમ સહિત આખી કેબિનેટનું રાજીનામું આપ્યું હતું. જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો. આ અગાઉ કેબિનેટની છેલ્લી બેઠકમાં ૧૬મી લોકસભા બરખાસ્ત કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. ભાજપનાં નવા ચૂંટાયેલા સાંસદો શનિવારે મોદીને એનડીએની સંસદીય પક્ષની બેઠકમાં નવા નેતા ચૂંટશે અને પીએમનાં હોદ્દા માટે પસંદ કરશે. મોદી અને એનડીએનાં નેતાઓ રાષ્ટ્રપતિને મળીને સરકાર રચવાનો દાવો કરશે. મોદી પ્રધાનોના નામ પસંદ કરશે અને તેમની સાથે શપથ લેવરાવશે. ૧૬મી લોકસભાની મુદત ૩ જૂને પૂરી થાય છે. આથી ૩ જૂન પહેલાં નવી ૧૭મી લોકસભાની રચના કરાશે. ૨૦૧૪માં મોદીએ ૨૬મી મેનાં રોજ શપથ લીધા હતા. ચૂંટણી  પંચ દ્વારા તમામ વિજેતા ઉમેદવારોની યાદી શનિવારે  રાષ્ટ્રપતિને સોંપવામાં આવે તેવું મનાય છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ