ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ અને સાહિત્યકાર અનિલ જોશીનું આજે સવારે નિધન થયું હતું. છેલ્લા ઘણા સમયથી અનિલભાઈ માંદગીને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બેએક અઠવાડિયાં તેઓ આઈસીયુમાં રહ્યા હતા. હજી 21 ફેબ્રુઆરીએ તેઓ સારવાર પછી ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેનું નિધન થયું હતુ. 84 વર્ષના જોશીએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા, એમ તેમના પુત્ર સંકેત જોશીએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી.
“ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોશીના નિધનથી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. આ દુઃખદ ઘડીમાં દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવાર અને સાહિત્યપ્રેમીઓ પ્રત્યે સંવેદના,” મોદીએ ‘X’ પર એક સંદેશમાં કહ્યું.
ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ અને સાહિત્યકાર અનિલ જોશીનું આજે સવારે નિધન થયું હતું. છેલ્લા ઘણા સમયથી અનિલભાઈ માંદગીને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બેએક અઠવાડિયાં તેઓ આઈસીયુમાં રહ્યા હતા. હજી 21 ફેબ્રુઆરીએ તેઓ સારવાર પછી ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેનું નિધન થયું હતુ. 84 વર્ષના જોશીએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા, એમ તેમના પુત્ર સંકેત જોશીએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી.
“ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોશીના નિધનથી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. આ દુઃખદ ઘડીમાં દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવાર અને સાહિત્યપ્રેમીઓ પ્રત્યે સંવેદના,” મોદીએ ‘X’ પર એક સંદેશમાં કહ્યું.