Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 1 માર્ચથી 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રાજ્યના વિવિધ સ્થળોની મુલાકાત લેશે અને મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. PM મોદી 1 માર્ચે સાંજે 7:30 કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા સર્કિટ હાઉસ જઇ રાત્રિ રોકાણ કરશે. 2 માર્ચે તેઓ રિલાયન્સ ગ્રુપના પ્રોજેક્ટ ‘વનતારા’ ની મુલાકાત લેશે, ત્યારબાદ બપોરે 2 વાગ્યે જૂનાગઢ એરપોર્ટ પર પહોંચશે. તેઓ ગીરના સિંહ સદન ખાતે રાત્રિ રોકાણ કરશે.
3 માર્ચે PM મોદીની અધ્યક્ષતામાં ગીરમાં નેશનલ વાઈલ્ડલાઈફ બેઠક યોજાશે, જ્યાં પ્રકૃતિ અને વનજીવન સંરક્ષણ પર ચર્ચા થશે. બેઠક પૂર્ણ થયા બાદ PM મોદી સોમનાથ જવા રવાના થશે, જ્યાં બપોરે 2 વાગ્યે તેઓ સોમનાથ મંદિરના દર્શન કરશે.સોમનાથ મંદિરના દર્શન બાદ PM મોદી દિલ્હી માટે પરત ફરશે. તેમના આ પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થામાં પણ તંત્રએ કડક આયોજન કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ