હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. જે બાદ તેઓ સંગમના કિનારે જ ગંગાની પૂજા કરશે. પીએમ મોદી સવારે 10 વાગે મહાકુંભમાં પહોંચશે. અહીં તેઓ અરેલ ઘાટથી બોટ મારફતે સંગમ જશે. પીએમ મોદી પ્રયાગરાજમાં લગભગ એક કલાક રોકાણ કરશે. આ સમય દરમિયાન તેઓ સ્નાન અને ગંગા પૂજા કરીને પરત ફરશે.