Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતીઓને ઉત્તરાયણ પર પીએમ મોદી એક નહિ ચાર ભેટ આપવાના છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન પીએમ મોદી ગુજરાતના ચાર જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ 16 જાન્યુઆરીના રોજ કેવડિયાથી વડોદરા રેલવે સ્ટેશનનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. તો 18 જાન્યુઆરીએ સુરત અને અમદાવાદ મેટ્રોનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન દિલ્હીથી કરશે. તેમજ 18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવશે. આ તમામ પ્રોજેક્ટ્સનું તેઓ દિલ્હીમાં રહીને ઈ-લોકાર્પણ કરાવશે. 
વડાપ્રધાન આગામી 16 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ઓનલાઇન માધ્યમથી કેવડિયા-બરોડા રેલ્વે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનો ઇ-શુભારંભ કરાવશે. જ્યારે 18 જાન્યુઆરીએ વડાપ્રધાન દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-૨નું નવી દિલ્હીથી ઇ-ખાતમૂહુર્ત કરાશે, જે અમદાવાદ-ગાંધીનગર-ગિફ્ટ સિટીને જોડશે. આ ઉપરાંત 18મી જાન્યુઆરી વડાપ્રધાન દ્વારા સુરત મેટ્રોના કામનું પણ નવી દિલ્હીથી ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવશે. 
 

ગુજરાતીઓને ઉત્તરાયણ પર પીએમ મોદી એક નહિ ચાર ભેટ આપવાના છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન પીએમ મોદી ગુજરાતના ચાર જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ 16 જાન્યુઆરીના રોજ કેવડિયાથી વડોદરા રેલવે સ્ટેશનનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. તો 18 જાન્યુઆરીએ સુરત અને અમદાવાદ મેટ્રોનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન દિલ્હીથી કરશે. તેમજ 18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવશે. આ તમામ પ્રોજેક્ટ્સનું તેઓ દિલ્હીમાં રહીને ઈ-લોકાર્પણ કરાવશે. 
વડાપ્રધાન આગામી 16 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ઓનલાઇન માધ્યમથી કેવડિયા-બરોડા રેલ્વે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનો ઇ-શુભારંભ કરાવશે. જ્યારે 18 જાન્યુઆરીએ વડાપ્રધાન દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-૨નું નવી દિલ્હીથી ઇ-ખાતમૂહુર્ત કરાશે, જે અમદાવાદ-ગાંધીનગર-ગિફ્ટ સિટીને જોડશે. આ ઉપરાંત 18મી જાન્યુઆરી વડાપ્રધાન દ્વારા સુરત મેટ્રોના કામનું પણ નવી દિલ્હીથી ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ