વડોદરામાં 20 ઇંચ જેટલા વરસાદ બાદ ઉભી થયેલી થયેલી પરિસ્થિતિ પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે, તેમજ બચાવ અને પુનર્વસનની કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને વડોદરાની પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સીએમ વિજય રૂપાણીનો જન્મ દિવસ પણ છે.
PM મોદીએ સીએમ રૂપાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ વિજય રૂપાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતું ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, "ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મ દિવસની શુભેચ્છા. વિજયભાઈ પૂરી લગનથી રાજ્યની સેવા કરી રહ્યા છે. ભગવાન તેમના સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે."
વડાપ્રધાને વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યો
વડોદરામાં વરસાદ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ વિશે વડાપ્રધાને તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત વડોદરામાં ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ આપવાની જાહેરાત પણ કરી હતી. આ અંગે સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, "વડોદરામાં પૂરની સ્થિતિ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોનમાં લાંબી વાતચીત થઈ છે. મેં તેમને વડોદરાની વર્તમાન પરિસ્થિતિ વિશે તેમજ રાજ્ય સરકારે લીધેલા પગલા વિશે માહિતગાર કર્યા છે. "
બીજા એક ટ્વિટમાં સીએમ વિજય રૂપાણીએ લખ્યું છે કે, ""નરેન્દ્ર મોદીએ વડોદરામાં બચાવ અને પુનર્વસન માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. તેમના માર્ગદર્શન અને મદદ માટે હું તેમનો આભાર માનું છું."
વડોદરામાં 20 ઇંચ જેટલા વરસાદ બાદ ઉભી થયેલી થયેલી પરિસ્થિતિ પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે, તેમજ બચાવ અને પુનર્વસનની કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને વડોદરાની પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સીએમ વિજય રૂપાણીનો જન્મ દિવસ પણ છે.
PM મોદીએ સીએમ રૂપાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ વિજય રૂપાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતું ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, "ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મ દિવસની શુભેચ્છા. વિજયભાઈ પૂરી લગનથી રાજ્યની સેવા કરી રહ્યા છે. ભગવાન તેમના સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે."
વડાપ્રધાને વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યો
વડોદરામાં વરસાદ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ વિશે વડાપ્રધાને તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત વડોદરામાં ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ આપવાની જાહેરાત પણ કરી હતી. આ અંગે સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, "વડોદરામાં પૂરની સ્થિતિ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોનમાં લાંબી વાતચીત થઈ છે. મેં તેમને વડોદરાની વર્તમાન પરિસ્થિતિ વિશે તેમજ રાજ્ય સરકારે લીધેલા પગલા વિશે માહિતગાર કર્યા છે. "
બીજા એક ટ્વિટમાં સીએમ વિજય રૂપાણીએ લખ્યું છે કે, ""નરેન્દ્ર મોદીએ વડોદરામાં બચાવ અને પુનર્વસન માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. તેમના માર્ગદર્શન અને મદદ માટે હું તેમનો આભાર માનું છું."