ગુજરાતી રંગમંચ ના બે જાણીતા ચહેરાએ ત્રણ દિવસમાં આપણી વચ્ચેથી વિદાય લીધી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'નટુકાકા' અને રામાનંદ સાગરની રામાયણના 'રાવણ' એટલે કે ઘનશ્યામ નાયક અને અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. ઘનશ્યામ નાયક ઘણા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે અરવિંદ ત્રિવેદીનું અવસાન હૃદયરોગના હુમલાને પગલે થયું છે. તેઓ પણ લાંબા સમયથી બીમાર હતા. અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની ઉંમરે તો ઘનશ્યામ નાયકનું 77 વર્ષનું વયે અવસાન થયું છે. બંને કલાકારોના નિધન પર પીએમ મોદી (PM Modi tweet)એ ટ્વીટ કરીને બંનેને અંજલી અર્પણ કરી છે. સાથે જ પીએમ મોદીએ બંને કલાકારો સાથે તસવીર પર પોસ્ટ કરી છે.
ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "શ્રી અરવિંદ ત્રિવેદી આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ઉત્તમ ગજાના કલાકાર હોવાની સાથે સાથે એક લોક સેવક પણ હતા. રામાયણ ટીવી સીરિયલમાં તેમના અભિનયને લોકો હંમેશા યાદ રાખશે."
ગુજરાતી રંગમંચ ના બે જાણીતા ચહેરાએ ત્રણ દિવસમાં આપણી વચ્ચેથી વિદાય લીધી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'નટુકાકા' અને રામાનંદ સાગરની રામાયણના 'રાવણ' એટલે કે ઘનશ્યામ નાયક અને અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. ઘનશ્યામ નાયક ઘણા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે અરવિંદ ત્રિવેદીનું અવસાન હૃદયરોગના હુમલાને પગલે થયું છે. તેઓ પણ લાંબા સમયથી બીમાર હતા. અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની ઉંમરે તો ઘનશ્યામ નાયકનું 77 વર્ષનું વયે અવસાન થયું છે. બંને કલાકારોના નિધન પર પીએમ મોદી (PM Modi tweet)એ ટ્વીટ કરીને બંનેને અંજલી અર્પણ કરી છે. સાથે જ પીએમ મોદીએ બંને કલાકારો સાથે તસવીર પર પોસ્ટ કરી છે.
ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "શ્રી અરવિંદ ત્રિવેદી આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ઉત્તમ ગજાના કલાકાર હોવાની સાથે સાથે એક લોક સેવક પણ હતા. રામાયણ ટીવી સીરિયલમાં તેમના અભિનયને લોકો હંમેશા યાદ રાખશે."